Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Sunday, March 27, 2011

નવી શિક્ષણનીતિ : એક સંકલ્પના

પ્રસ્તાવના : એકવીસમી સદીનું બીજું દશક શરુ થતાં ભારતીય શિક્ષણવ્યવસ્થા વિષે પુન:મૂલ્યાંકન કરવાનો સમય આવી ગયો છે- તેમાં ધરમૂળથી ફેરફારો કરવા એ સમયની જરૂરિયાત બની ગયેલ છે, ભારતીય ઇતિહાસ, સંસ્ક્રૂતિ, સમાજ, વ્યવસ્થા તથા વર્તમાન વૈશ્વિક પરિવર્તનોને ધ્યાને રાખીને નૂતન શિક્ષણનીતિ સ્વતંત્ર રીતે નિર્માણ કરવાની જરૂરીયાત ઉભી થયેલ છે, આથી તેના ઉપર સાર્વજનિક ચિંતન થાય તે માંથી ફળશ્રુતિ-રૂપ સાર પ્રાપ્ત થતાં એક સ્વતંત્ર વિદેશનીતિ દરેક દેશને હોય છે, તે રીતે એક સ્વાયત શિક્ષણનીતિ પણ દેશ માટે હોવી જોઈએ ; જે કોઈ સ્થાપિત હિતથી ગ્રસિત ન હોય એ બાબતે પણ ખાસ દક્ષતા રહે તે ધ્યાને લેવાય એ આવશ્યકતા છે.

ખરેખર રાઈટ ટુ એજ્યુકેશન(RTE) નું સ્વરૂપ કેવું હોવું જોઈએ:-
  • ૧) પ્રાથમિક, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક, વિશ્વવિદ્યાલય એ ત્રણે સ્તરો નું શિક્ષણ RTE ACT હેઠળ સાંકાળી લેવાય.
  • ૨) શિક્ષણને સર્વોચ્ચ મહત્વ આપી દૂરદર્શી આયોજનરૂપ મુસદ્દાને તેમાં સામેલ કરવો કરવો જોઈએ.
  • ૩) નવો RTE ACT બનાવવા માટે નિષ્ણાતોની નીચે મુજબના કોષ્ટક પ્રમાણે ૨૪ સભ્યોની એક વિસ્તૃત ટીમ બનાવવી જોઈએ : -
સભ્યનું ક્ષેત્ર
હોદો
સંખ્યા
સુપ્રીમ કોર્ટ
ન્યાયાધીસ(નિવૃત)
હાઇકોર્ટ
ન્યાયાધીસ
શિક્ષણ વિદો
-
વિશ્વ વિદ્યાલય
પ્રોફેસર
પ્રાથમિક
શિક્ષક
માધ્યમિક
શિક્ષક
પ્રાચીન ગુરુકુળ (વૈદિક)
કુલપતિ /આચાર્ય
રમત-ગમત સંસ્થા
ડાયરેક્ટર
આર્મી ઓફિસર
જનરલ/મેજર/કેપ્ટન
આઈ.આઈ.એમ.
પ્રોફેસર
આઈ.આઈ.ટી.
પ્રોફેસર
સમાજ સેવક
-
૧ 
કલા
-
સાહિત્ય
-
વૈજ્ઞાનિક
-
કુલ
૨૪

  • ૪) ઉપરોક કોઠા -૩ મુજબ ૨૪ સભ્યોની નિમણુંક પ્રધાનમંત્રી , વિપક્ષના નેતા ,શિક્ષણમંત્રીની સહમતી થી રાષ્ટ્રપતિ દ્વારા થાય તથા તેને એક વટહુકમ દ્વારા વિશેષ શક્તિ પ્રદાન કરવામાં આવે જેથી એ સમિતિ પોતાનું કાર્ય કોઈ પણ જાતની બાધા વગર કરી શકે .
  • ૫) સમિતિ પોતાનો અહેવાલ છ માસમાં આપે , તેનો અમલ ત્રણ માસમાં થાય તે બાબતે યોગ્ય થાય. તેના માટે સરકાર કટ્ટીબદ્ધ બને એ જરૂરી છે.
  • ૬) સમિતિનો અહેવાલ આવ્યા બાદ એક ચુંટણીપંચની મારફતે સ્વાયત શિક્ષણ પંચ બને જેના હેઠળ સમગ્ર દેશની શિક્ષણ વ્યવસ્થા ને મુકવામાં આવે .
શિક્ષણ માટે તાત્કાલિક શું કરવું જોઈએ ?
  • ૧) નીચેના કોષ્ટક મુજબના પગલાં તત્કાલ ભરી શકાય: -
ક્રમ
વિગત
શાળાનો સમય (સમગ્ર દેશમાં એકજ સમય સવારનો)  
શિક્ષક માટે
સવારે : ૮ થી ૧:૩૦
શિક્ષણ કાર્ય
૮:૩૦ થી ૧૨:૩૦
રીશેષ
૧૦:૦૦ થી ૧૦: ૩૦
આયોજન
૧૨:૩૦ થી ૧:૩૦
તાસ
આઠ
૩૦-મીનીટનો એક
શૈક્ષણીક  કેલેન્ડર
સમગ્ર વર્ષનું
રાજ્ય કક્ષા એ એકજ હોય જેમાં શિક્ષણ કાર્ય, તાલીમ,કાર્યક્રમો,ઉજવણી, અન્ય ---એ રીતે દિવસોનું વિભાજન કરવું...
દરેક શાળામાં ભૌતિક સુવિદ્યાઓ
પુસ્તકાલય
ટેબલ ,ખુરસી, બેંચ , પુસ્તકો
લેબોરેટરી

સ્ટાફ રૂમ

કોમ્પુટર રૂમ
ઈન્ટરનેટ જોડાણ સાથે
આચાર્ય રૂમ

 ક્લાસ રૂમ
દરેક વર્ગ માટે અલગ
મેદાન
રમતનું
બાગ
પાણીની સુવિદ્યા સાથે
શિક્ષક સજ્જતા
લેપટોપ
સરકારે ૯૦% સબસીડી આપવી. 
એવોર્ડ
નવી રીતે
શિક્ષક ફાઈલ બનાવી સામેથી એવોર્ડ માગે તેના કરતા , સરકાર તેને સામેથી એવોર્ડ આપે તેવી નીતિ બનાવવી.
શિક્ષણ કાર્ય
માત્ર શિક્ષણ
શિક્ષણ શિવાયની અન્ય કોઈ વધારાની કામગીરી ન આપવી.
પાઠ્યક્રમ
આયોજન
રાજ્યની દરેક શાળામાં એકજ દિવસે એજ પાઠ ચાલતો હોય....(જેનું આયોજન રાજ્ય કક્ષાએ શિક્ષકોની એક ટીમ દ્વારા દર વર્ષે થાય

Saturday, March 26, 2011

મેકોલેની શિક્ષણનીતિ


મેકોલેની શિક્ષણનીતિ હજુ કેમ ચાલુ છે ?
૧૮૩૪ માં મેકોલે નામના એક અંગ્રેજ જે ભારતીય પ્રજાને હમેશા ગુલામ રાખવા તથા બીજાની આખે જોવાની નીતિ હમેશાં અંગ્રેજ ગયા પછી પણ ભારતમાં ચાલુ રહે તેવું ચિંતન કરતો રહેતો હતો , ભારે વિરોધ વચે તેની બનાવેલી નીતિ બ્રિટીશ કંપની સરકારે ભારતમાં દાખલ કરી જેના પરિણામો મેકોલે નીચે મુજબ ઇચ્છતો હતો :-

  • (૧) ભારતનું સાસ્કૃતિક પતન થાય ,
  • (૨) દરેક બાબતમાં ભારતીય માનસ હમેસા અંગ્રેજોનું ગુલામ રહે,
  • (૩) પોતાનાં વિચારોથી ભારતમાં એક અંગ્રેજોની દ્રષ્ટિથી વિચારતો વર્ગ તૈયાર થાય

મેકોલેની શિક્ષણનીતિનો અમલ થતા ......
  • ૧) ભારતીય ગુરુકુલ પરંપરાને ભારે ફટકો પડ્યો....
  • ૨) કારકુન તૈયાર કરવાના કારખાના શાળાઓ મહાવિદ્યાલયો બની ગયાં.
  • ૩) માત્ર અંગ્રેજ અને પશ્ચીમી નીતિ ને યોગ્ય ઠેરવતા પાઠો અભ્યાસમાં દાખલ કરાયા .....
  • ૪) શાળાઓનો સમય દિવસનો કરાયો ઇગ્લેન્ડમાં હતો તે મુજબ.
  • ૫) ઈગ્લેન્ડ:ભારત બંનેની પર્યાવરણીય પરિસ્થિતિનો પણ વિચાર થયા વિના
  • ૬) ૧૧ થી ૫ ની તમામ સરકારી ઓફિસો કરી દેવાઈ તે મુજબ શાળાને પણ એક સરકારી ઓફીસ માત્ર સમજીને તેનો સમય પણ ૧૧ થી ૫ નો કરી દેવાયો એક વિધિની વિચિત્રતા સમજો કે , આજે પણ આઝાદ ભારતમાં એજ ચાલુ છે.

શિક્ષણનીતિમાં શા માટે પરિવર્તન શા માટે નથી કરાતું ?
            સવારને કોઈ પણ વ્યક્તિનું મગજ નવા વિચારો પ્રાપ્ત કરવા અને નવું કામ કરવા તાજું હોય છે, ૧૧ વાગ્યે શાળા શરુ થાય ત્યાં સુધી તો અનેક પ્રકારના ભુંસા મગજમાં ભરાઈ જતાં હોય છે...તેથી આગળ શિક્ષણ કાર્ય માત્ર યંત્રવત બની જાય છે...શા માટે નીતિ નિર્માતાઓ આ બાબતને નજર અંદાજ કરે છે ?  ક્યા સુધી આ ચાલશે ?
અગ્રેજોની શિક્ષણનીતી ચાલુ રહી તેનાં કારણો .....
  • ૧) ૧૯૬૧ બાદ ચાણક્ય નું અર્થ શાસ્ત્ર અપ્રકટ હતું , જો મહાત્મા ગાંધીજી અને પંડિત નહેરુને ચાણક્ય નીતિ ની પૂર્ણ માહિતી મળી ગઈ હોત તો ભારત વહેલું આઝાદ થઇ ગયું હોત ...વિધિ ની ઈચ્છા તેમ ન થયું , તો હવે તો સમજીએ કે નીતિ નિર્ધારણ કરાવામાં થાપ ના ખાઈએ....
  • ૨) હવે થોડો પણ સમય બરબાદ કર્યા વિના શિક્ષણનીતીમાં આમુલ પરિવર્તન જરુરીજ નહિ પણ અનિવાર્ય છે... જો ભારતને વિશ્વ ગુરુ ના સ્થાને પ્રસ્થાપિત કરવું હશે તો આમ કરવું જરૂરી બની રહેશે ...