Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Monday, May 14, 2012

શિક્ષણ નીતિ નિર્ધારણ


                   કોઈ પણ કાનુન બન્યા પછી તેનો અમલ કરાવવા અને નીતિ નિર્ધારણ માટે સંવિધાને કાર્યપાલિકા એટલેકે સરકાર ને જવાબદારી સોપેલ છે, અનેક કારણો ને લઈને સરકારો અમલ અને નીતિ નિર્ધારણ કરવામાં સમય પસાર કરતી જોવા મળેલ છે, મેકોલે નામનો એક અંગ્રેજ જે નીતિ બનાવી ભારતની તમામ સરકારી શાળાઓનો સમય એક ઓફિસની માફક ૧૧ થી ૫ કરી ગયા બાદ ૧૫૦ થી વધુ વર્ષ બાદ હજુ પણ તેને બદલવાની હિંમત કોઈ કેમ નથી કરતુ ?

પ્રાથમિક શિક્ષણ માં હાલે શિક્ષણ નો અધિકાર અમલી બનતા કેટલાક અગત્ય ના કરવા જેવા કામ …..
  1. પ્રાથમિક શાળામાં આચાર્ય ની ભરતી જડપથી કરવી ….
  2. ૬ થી ૮ વિકલ્પ વાળી પ્રક્રીયા જલ્દી પૂર્ણ કરવી …
  3. બદલીઓ તથા અન્ય પ્રક્રિયાઓ જલ્દી પૂર્ણ કરાવી …
  4. તમામ શાળાઓમાં આપેલ કમ્પુટર માં સોફ્ટવેર -સિસ્ટમ શરુ થાય તેમ કરવું ..
આચાર્ય ભરતી પ્રક્રિયા બાબત 
  1. આચાર્ય ને વિષેશ સત્તાઓ આપવી
  2. બદલી ,પગાર ધોરણ અન્ય લાભ બાબત ચોક્કસ નીતિ જાહેર કરાવી..
  3. સીનીયર શિક્ષકો ને તાત્કાલિક પ્રથમ ઓર્ડર અપાય તેવું થાય તો અન્ય પ્રશ્નો ઉભા ન થાય અને સૌને ન્યાય મળે ..
  4. આચાર્ય ભરતી સમયસર થાય તો શિક્ષણ ના અધિકાર અન્વયે શાળાઓ માં વિશેષ કાર્યો જડપથી થઇ શકે …
  5. અભિનવ માનવ મૂડી ત્યાર કરવા ની હોઈ શિક્ષણ નીતિ તાત્કાલિક અમલી બને એ રાષ્ટ્ર ના હિત માં હશે..
ઉપરોક્ત સુચનો બાબતે નીતિ નિર્માતાઓ અવશ્ય વિચારશે તેવી અપેક્ષા.

No comments: